

મોરબીમાં રહેતા ડો.રવીન્દ્ર ભટ્ટનો આજે જન્મદિવસ છે.તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે સમાજ સેવામાં અગ્રેસર રહીને વિધાર્થીઓને જીવન ધડતરના પાઠ શીખવી રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે સાથી મિત્રો, શિક્ષણ જગતના અગ્રણીઓ, સ્નેહીજનો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે
શિક્ષણ ક્ષેત્રે આગવી નામના ધરાવતા ડો.રવીન્દ્ર ભટ્ટ મોરબી પી.જી.પટેલ કોલેજના આચાર્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કલ્ચર બોર્ડમાં કારોબારી સભ્ય,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બોર્ડ ઓફ એકાઉન્ટન્સીમાં વાઈસ ચેરમેન, અમદાવાદ રાય યુનિવર્સીટીમાં પીએચડીના માર્ગદર્શક, લાયન્સ ક્લબના સભ્ય અને રાધે ક્રિષ્ના સ્કુલના સંચાલક તરીકે પોતાની ફરજ બજાવી વિધાર્થીઓને શિક્ષણની સાથે સાથે સમાજસેવા થકી જીવન ધડ્તારના પાઠ શીખવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી ડો.રવીન્દ્ર ભટ્ટને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…………………………