મોરબી જિલ્લામાં પુર્વ પરવાનગી વગર સભા સરધરસ પર પ્રતિબંધ

ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ જુદા જુદા બે તબકકાઓમાં તા.૦૯/૧૨/૨૦૧૭ અને તા.૧૪/૧૨/૨૦૧૭ ના રોજ યોજવાનું જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ મતદાર થનાર છે. આ ચૂંટણી દરમ્યાન સમગ્ર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા મતદારો પોતાના મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તે હેતુથી કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંઆ હુકમની તારીખથી તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહિ અથવા કોઈ સભા ભરવી નહિ કે કોઈ સરઘસ કાઢવુ નહિ સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિ કૃત કરવામાં આવે છે. તેવો હુકમ ફરમાવ્યો છે. આ હુકમ તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. તેમજ મોરબી જિલ્લાના તમામ શહેર અને ગ્રામ્યવિસ્તારને લાગુ પડશે.આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોયતે વ્યક્તિને. અને કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Comments
Loading...
WhatsApp chat