શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ, ખાખરેચી ગામના વાલીઓએ લીધો બાળકોએ સરકારી શાળામાં અભ્યાસ કરાવવાની સંકલ્પ



હાલ મોરબી જીલ્લામાં અનેક ગામોએ બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે તો વધુ એક માળીયા તાલુકાના ખાખરેચી ગામે શિક્ષકોએ ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવતા સમસ્ત ગામે તમામ બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો પ્રેરણાદાયી સંકલ્પ લીધો છે.
માળિયા તાલુકાના ખાખરેચી ગામની વસ્તી ૮ હજાર લોકોની છે. ગામમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં આશરે ૪૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. જયારે ખાનગી શાળાઓમાં ગામના અંદાજે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ખાખરેચી ગામની સરકારી શાળાઓના શિક્ષકોએ સમસ્ત ગ્રામજનોને ઘરે ઘરે જઈને સમજણ આપી કે સરકારી શાળામાં ખાનગી શાળા કરતા વધુ ક્વોલિફાઇડ શિક્ષકો હોય છ
ત્યારબાદ ગ્રામજનોએ એક બેઠક યોજીને તમામ બાળકોને સરકારી શાળામાં જ ભણાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો. ગામના જે બાળકો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને ત્યાંથી ઉઠાડીને ગામની ત્રણ સરકારી શાળાઓમાં દાખલ કરવામાં આવશે.

