વાંકાનેર આઈટીઆઈમાં આવતીકાલે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોરબીના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે આજે તા. ૨૫ ના રોજ સવારના ૧૧.૦0 કલાકે ઓધોગિક તાલીમ સંસ્થા. વાંકાનેર તાલુકા સેવા સદન સામે વાંકાનેર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે “એપ્રેન્ટીસશીપ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે

જેમાં ૧૪ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા અને આઇટીઆઇ /ડીપ્લોમા/ ડીગ્રી અને ધો. ૮ થી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ ટ્રેઇની તરીકે પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે, જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, સ્કુલ લીવીંગ સર્ટી.આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે (અસલ અને નકલો) સાથે, ઉપસ્થિત રહેવું.

Comments
Loading...
WhatsApp chat