વાંકાનેરના ગારીડા નજીક ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 મોરબીની ખોજા સોસાયટીમાં ચક્કર આવતા યુવાનનું મોત

        મોરબીના શનાળા રોડ પરની લાયન્સનગર પાસે ખોજા સોસાયટીમાં રહેતા વજીરભાઇ અમીનભાઈ અવાડીયા (ઉ.વ.૪૨) નામના યુવાન ગત તા. ૦૫ ના રાત્રીના ૧૧ : ૩૦ ના સુમારે ઘરે બેઠા હતા ત્યારે ચક્કર આવતા લથડી જતા મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા

મોરબીના પંચાસર રોડ પર આદિવાસી આધેડનો મૃતદેહ મળ્યો

        મોરબીના પંચાસર ચોકડી પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી રાયમલભાઈ પતીયાભાઈ ડામોર (ઉ.વ.૪૫) રહે હાલ પંચાસર ચોકડી મોરબી વાળા કોઈ કારણોસર મરણ ગયેલ હોય જેનો મૃતદેહ મળી આવતા પોલીસે અમોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર નજીક વોકળામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

        વાંકાનેરના ગારીડા ગામના પુલ પાસે આવેલ પાણીના ખાડા ((વોકળામાં) ડૂબી જવાથી અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષના પુરુષનું મોત નીપજ્યું હતું જે બનાવ અંગે ગારીડા ગામના સરપંચ હુશેનભાઈ માથકીયાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી છે તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat