નાના દહીસરાના વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

માળીયાના નાના દહીસરા ગામના વતની નાગજીભાઈ નારણભાઈ ભટાસણા (ઉ.વ.૬૦) નાનમાં વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતા માળિયા પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પીટલે ખસેડ્યો હતો તેમજ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat