મોરબીના વાઘપર – ગાળા પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડતા અજય લોરિયા દોડી ગયા

ગામના યુવાન અજય લોરીયા ને સાથે રાખી ખેડૂતોએ પોતાના સ્વ ખર્ચે કેનાલ રિપેર કરાવી

હાલ શિયાળુ પાકની સિઝન ચાલુ છે ત્યારે આ પાક ને પૂરતું પાણી મળી રહે તેના માટે ગઈકાલે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું જે પેટા કેનાલ 27 નંબર માંથી વાઘપર ગાળા સહિતના ખેડૂતો ને પાણી પહોંચે છે જેમાં ગઈ કાલે વાઘપર – પીલુડી પાસે કેનાલના નબળા કામ ને કારણે ગાબડું પડ્યું હતું આથી છેવાડાના ખેડૂતોને પોતાના ખેતર સુધી  પાણી પહોંચતું ન હતું

 

ત્યારે વાઘપર ગામના ખેડૂતોએ ગામના પનોતા પુત્ર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની સાથે રાખી આજે તંત્રની રાહ જોયા વિના અંદાજે 70,000 ના સ્વ ખર્ચે આ કેનાલ રિપેર કરાવી હતી. અને પિયત માટે છેવાળા ના ખેડૂત સુધી પાણી પહોંચે તેના માટેના પ્રયાસો હાથ ધર્યા હતા

Comments
Loading...
WhatsApp chat