મોરબી તા ૨૭ :- અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલ) ના સૌથી નાના પુત્ર, તેમજ વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન તે જુના ઘાંટીલા વાળા સ્વ. વેલજીભાઈ હરિભાઈના દીકરીનું તા. ૨૬ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે બેસણું તા. ૨૯ ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે રેવા પાર્ક, અજંતા ક્લોકની સામે, રાજકોટ હાઈવે વીરપર તા. મોરબી ખાતે રાખેલ છે