મોરબીમાં પુણ્યતિથિ નિમિતે પુસ્તક અર્પણ કરી અવસરને દીપાવ્યો

મોરબીમાં પુણ્યતિથિ નિમિતે પરિવારજનો દ્વારા પુસ્તક ધુનડા ગામની શાળાને અર્પણ કરીને અવસરને દીપાવ્યો હતો.આ તકે પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના સ્વ.કરશનભાઇ જેરાજભાઈ રંગપરિયાની પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનો, પુત્રો અને પૌત્રો સરપંચ પ્રવિણભાઈ, નાગજીભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ તથા અશોકભાઈ (સંચાલક – તપોવન વિદ્યાલય,મોરબી) તરફથી ઘુનડા (સ.) પ્રાથમિક શાળાની લાઈબ્રેરીને ભારતીય જિવન પદ્ધતિ અને શિક્ષણ વ્યવસ્થાની સમજ આપતા અદભૂત ગ્રંથો “ભારતીય શિક્ષા ગ્રંથમાળા ભાગ ૧ થી ૫ ” અર્પણ કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat