મોરબી નજીકથી સગીરાનું અપહરણ કરનાર શખ્શ કેશોદથી ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આરોપી અને ભોગ બનનારને શોધી લેવાયા

        મોરબી નજીકની સિરામિક ફેકટરીમાંથી સગીરાનું અપહરણ કરી એક ઇસમ નાસી ગયો હોય જે આરોપીને જુનાગઢ જીલ્લાના કેશોદ ખાતેથી ઝડપી લેવાયો છે અને ભોગ બનનાર સગીરા પણ મળી આવી છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેંજ સંદીપસિંહ તેમજ જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ સગીર વયના બાળકોને ભગાડી જવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની સુચના અન્વયે ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા મથકમાં આરોપી સંજય કાન્તિલાલ ગેડાણી રહે નવા મકનસર વાળો શખ્શ સગીરાને ગત તા. ૧૬-૦૬ ના રોજ અપહરણ કરી ગયો હોય જે અંગે મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આર કે ઝાલાની ટીમના અનંતરાય પટેલ, હરપાલસિંહ ઝાલા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની ટીમે આરોપી સંજય કાન્તિલાલ ગેડાણી અને ભોગ બનનાર બંને કેશોદ જી જુનાગઢ ખાતે વાડીમાં હોવાની બાતમીને આધારે કેશોદથી શોધી કાઢી આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ ૪,૬ હેઠળ અટક કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat