આમ આદમી પાર્ટીના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વાંકાનેરમાં કાર્યકરો સાથે મીટીંગ યોજી

 

વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા મીટીંગ યોજવામાં આવી રહી છે જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મીટીંગ યોજી હતી અને કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં આ વેળાએ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પુરુ જોર લગાવી રહી છે ત્યારે વાંકાનેર ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉપસ્થિત રહયા હતા જેને કાર્યકરોને સંબોધન કર્યું હતું અને કાર્યકરો સાથે મીટીંગ કરી હતી જેમાં વાંકાનેરની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી

Comments
Loading...
WhatsApp chat