રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તા. ૩૧ ના રોજ મોરબી ખાતે સમરસ સરપંચોનો સત્કાર કાર્યક્રમ યોજાશે
તા ૩૧ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે ટાઉન હોલ ખાતે સમરસ સરપંચોનો સત્કાર કાર્યક્રમ અને પી.એમ.એ. વાય યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા સહિતના ઉપસ્થિત રહેશે