


મોરબી તાલુકાની તમામ 181 સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને જાણે તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાજીને જાણે તે માટે શાળામાં દરરોજ પ્રાર્થનાસભામાં ગીતાજીના શ્લોકોનું પઠન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ગીતાજીના અધ્યાયો અને શ્લોકો કંઠસ્થ કરે તેવા ઉમદા આશયથી હ્યુમન ઇન્સપાયર ઓર્ગેનાઇઝર્સના ફાઉન્ડર શૈલેષભાઈ ધાનજા અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા તરફથી મોરબી તાલુકાની તમામ 181સરકારી પ્રાથમિક શાળાઓ, તમામ 22 કલસ્ટર રિસોર્સ સેન્ટર અને બ્લોક રિસોર્સ સેન્ટરને સસ્નેહ અર્પણ દાન સ્વરૂપે આપવામાં આવી હતી.
આવા ઉમદા કાર્ય અને સાંસ્કૃતિક વારસાના જતનના નિર્માણની ભાવના બદલ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર અને સંગઠન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર અને શિક્ષક મિત્રો તરફથી આ બંનેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.દળદાર કદની સમગ્ર ગુજરાતી અનુવાદ સાથેની શ્રીમદ્દ ભગવદ્ ગીતાજી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી સાબિત થશે.

