

જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીએસઆઈ આર.ટી. વ્યાસની સહિતની ટીમે વાંકાનેર સિટીમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હાઇવે પરના ઓમ રેસ્ટોરન્ટ બાજુમાં દિલાવરખાન ઉર્ફે ખાન ફકીર મહમદ ફકીર (ઉ.વ.૪૨) રહે. એકતા સોસાયટી વાંકાનેર વાળો બીલ કે આધારપુરાવા વગર કેરોસીન વેચાણ કરતો હોય જેને ઝડપી લઈને કેરબામાં રહેલ કેરોસીન લીટર ૨૬૫ કીમત રૂપિયા ૧૦,૬૦૦ તથા રોકડ રૂપિયા ૧૯,૩૦૦ મળીને કુલ ૩૦,૮૫૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસર ની કાર્યવહી હાથ ધરવામાં આવી છે